Just saw a page on Facebook, named “Gujarati Bachao Sanskriti Bachao”
Now a question came in my mind, “When one needs to save a language or civilization? Simple… When the language or civilization is dying. Now when does a language die… when the language is not getting changed with the time… right??
Why English is so popular today??? Reason is simple; the language has never been imposed upon anyone. You can speak English the way you want; it has so many versions and accents and it keep changing from generation to generation. Today we are not speaking the English which our forefathers were speaking like 20-30-40-50 years back. Apart from that, we use some words which are taken from some Indian language, without any hesitation. Seeing all these, did we hear any Britisher complaining about this??? No… Does it mean that he doesn’t love his mother tongue? Ofcourse he does… but he’s not worried about the changes just because he thinks that his language is not stagnant like ours. They know how to change with the time
And we?????? Today we do use words from other languages, but famous names of literature do not like this. They just don’t want to change with the time and want to pause themselves in that 5th decade of 20th century, which was Golden Period of Gujarati Literature. After listening to the dialogues of today’s Gujarati daily soaps, if you want us, the younger generation to “love” Gujarati, then sorry, we can’t do that. Just because we don’t like that extremely pure Gujarati language, full of jargons which we have not ever heard in our life. By the way, that’s why we hate Shakespeare, for his extremely pure language. Because, it’s not our language, it’s not simple to understand. That language is for CLASS and not for MASS.
Today youth of other states follow their regional language, just because, the literature of that language has changed with the time. Today they have movies and literature, which is the choice of today’s youth, where in Gujarati we have very few writers whose pen speaks language of youth and the rest of them are just opposing them. How can you accept the youth to respect the mother tongue, when the elders do not believe in the growth????
Same is the case with civilization. We keep saying how great our civilization was like 5000 yrs back, but what about now??? Whatever was there 5000 yrs back was perfect and good for that time and not for today. We need to change with time and then only we can be proud of our civilization, not by opposing the changes.
I guess that’s enough for any intelligent person, otherwise both the language & civilization will die…soon….
Showing posts with label Gujarati. Show all posts
Showing posts with label Gujarati. Show all posts
Monday, May 3, 2010
Sunday, April 25, 2010
ગુજરાતી બચાવો સંસ્કૃતિ બચાવો : ખરેખર?????
હમણાં ફેસબુક ઉપર એક પેજ જોયું. જેનું નામ હતું “ગુજરાતી બચાવો સંસ્કૃતિ બચાવો”
સૌ પ્રથમ તો એક સવાલ... કોઈ સંસ્કૃતિ કે કોઈ ભાષા ને બચાવવાની જરૂર ક્યારે પડે? જયારે એ મરી રહી હોય ત્યારે.... ખરું? અને ભાષા મરે ક્યારે? જયારે એ ભાષા નવી પેઢી ને અનુસાર પોતાને બદલવા તૈયાર ના હોય ત્યારે....
આજે દુનિયાભરમાં ઈંગ્લીશની આટલી બોલબાલ છે...શા માટે? કારણ એક્દમ સિમ્પલ છે, એ ભાષા એ પોતાને માનવ સમાજ પર ભારે થવા દીધી નથી, તમે ગમે તે રીતે, ગમે તે સ્ટાઈલમાં આ ભાષા બોલી શકો છો અને પેઢી દર પેઢી એમાં જરૂર પ્રમાણે ફેરફાર થતા જાય છે.. આજે આપણે જે ઈંગ્લીશ બોલીએ છીએ એ આજ થી ૨૦-૩૦-૪૦-૫૦ વર્ષ પહેલા નહોતી બોલાતી, ઉપરાંત આજે જે શબ્દો જે મૂળ ભારતીય ભાષા નાં છે એ પણ આપણે બિન્દાસ વાપરીએ છીએ. આ બધું જોઈને શું કોઈ બ્રિટિશરએ આનો વિરોધ કર્યો? ના... શા માટે? શું એમને એમની ભાષા પ્રત્યે પ્રેમ નથી? ગર્વ નથી? ઓફકોર્સ એમને છે... તો શું એમને એમની સંસ્કૃતિ લુંટાઈ જવાનો ભય છે? ના એમને એ ભય નથી, કારણ સરળ છે: એમની સંસ્કૃતિને સમયની સાથે બદલાતા આવડે છે.
જયારે આપણે??? આપણને સમય ની સાથે બદલાવું ગમતું નથી. એના સૌથી સરળ ઉદાહરણ તરીકે કોઈ પણ ગુજરાતી ડીક્શનેરી લઇ જુઓ. ઈ.સ. ૧૯૪૦ પછી એમાં કોઈ નવી આવૃત્તિ બહાર આવી નથી,કારણ? આપણો શબ્દભંડોળ ત્યાં જ અટકી ગયો છે, અને એ કોઈ ને બદલવામાં રસ પણ નથી. કારણકે આપણા સાહિત્યના સભ્યો: લેખકો,કવિઓ વગેરે ભદ્રંભદ્રનાં સીધા વારસદાર છે. આજની ગુજરાતી સીરીઅલોમાં જે ડાયલોગ હોય છે એ સાંભળીને તમે જો આજની પેઢી પાસેથી ગુજરાતીની કદર કરવાની આશા રાખશો તો સોરી,અમે એ નહિ કરી શકીએ, કારણકે અમને શેક્સપીયરનાં ઈંગ્લીશથી પણ નફરત છે અને ભદ્રંભદ્રના ગુજરાતીથી પણ નફરત છે. કારણકે એ અમારી ભાષા નથી,એ સામાન્ય લોકો ની ભાષા નથી. It’s for class and not mass.
આજે દક્ષિણ ભારતમાં, ત્યાંની યુવા પેઢી તેમની માતૃભાષાને લઈને જાગૃત છે કારણકે એ ભાષાઓએ, તેમનાં સાહિત્યે યુવા પેઢીને અનુરૂપ લખ્યું છે, અને એ પેઢીને રસ પડે એ ભાષામાં,નહિ કે ભદ્રંભદ્ર કે શેક્સપિયરની ભાષામાં. જયારે ગુજરાતીમાં માંડ આંગળીના વેઢે ગણાય એટલા લેખકો યુવાપેઢીની ભાષા બોલે છે,અને બાકીના સાહિત્યકારો એમનો વિરોધ કરે છે. આ કરચલાવૃત્તિનાં રહેતા તમે આજની પેઢીને ભાષાનું ગૌરવ લેવાનું કઈ રીતે કહી શકો?
અને જો ગુજરાતીને બચાવવાની જરૂર આવી પડી હોય એવી કટોકટી સર્જાય તો પછી એવી ભાષાને સાચવીને કામ શું છે???
આવું જ સંસ્કૃતિનું છે, આપણે આપની ૫૦૦૦ વર્ષ જૂની સંસ્કૃતિની યશોગાથા ગાતાં બેસી રહીશું તો સંસ્કૃતિનો કંઈપણ ઉદ્ધાર નથી થવાનો, અને એમ જ સંસ્કૃતિ મરી પરવારશે. ૫૦૦૦ વર્ષ પહેલા જે પણ હતું તે એ સમયને અનુરૂપ હતું અને સમય સાથે તાલ મેળવીને ચાલવાથી જ સંસ્કૃતિની ગરિમા જળવાશે નહિ કે નવીનતાનો વિરોધ કરવાથી.
આનાથી વધારે તો શું કહું?? સમજદાર કો ઈશારા હી કાફી હૈ...
સૌ પ્રથમ તો એક સવાલ... કોઈ સંસ્કૃતિ કે કોઈ ભાષા ને બચાવવાની જરૂર ક્યારે પડે? જયારે એ મરી રહી હોય ત્યારે.... ખરું? અને ભાષા મરે ક્યારે? જયારે એ ભાષા નવી પેઢી ને અનુસાર પોતાને બદલવા તૈયાર ના હોય ત્યારે....
આજે દુનિયાભરમાં ઈંગ્લીશની આટલી બોલબાલ છે...શા માટે? કારણ એક્દમ સિમ્પલ છે, એ ભાષા એ પોતાને માનવ સમાજ પર ભારે થવા દીધી નથી, તમે ગમે તે રીતે, ગમે તે સ્ટાઈલમાં આ ભાષા બોલી શકો છો અને પેઢી દર પેઢી એમાં જરૂર પ્રમાણે ફેરફાર થતા જાય છે.. આજે આપણે જે ઈંગ્લીશ બોલીએ છીએ એ આજ થી ૨૦-૩૦-૪૦-૫૦ વર્ષ પહેલા નહોતી બોલાતી, ઉપરાંત આજે જે શબ્દો જે મૂળ ભારતીય ભાષા નાં છે એ પણ આપણે બિન્દાસ વાપરીએ છીએ. આ બધું જોઈને શું કોઈ બ્રિટિશરએ આનો વિરોધ કર્યો? ના... શા માટે? શું એમને એમની ભાષા પ્રત્યે પ્રેમ નથી? ગર્વ નથી? ઓફકોર્સ એમને છે... તો શું એમને એમની સંસ્કૃતિ લુંટાઈ જવાનો ભય છે? ના એમને એ ભય નથી, કારણ સરળ છે: એમની સંસ્કૃતિને સમયની સાથે બદલાતા આવડે છે.
જયારે આપણે??? આપણને સમય ની સાથે બદલાવું ગમતું નથી. એના સૌથી સરળ ઉદાહરણ તરીકે કોઈ પણ ગુજરાતી ડીક્શનેરી લઇ જુઓ. ઈ.સ. ૧૯૪૦ પછી એમાં કોઈ નવી આવૃત્તિ બહાર આવી નથી,કારણ? આપણો શબ્દભંડોળ ત્યાં જ અટકી ગયો છે, અને એ કોઈ ને બદલવામાં રસ પણ નથી. કારણકે આપણા સાહિત્યના સભ્યો: લેખકો,કવિઓ વગેરે ભદ્રંભદ્રનાં સીધા વારસદાર છે. આજની ગુજરાતી સીરીઅલોમાં જે ડાયલોગ હોય છે એ સાંભળીને તમે જો આજની પેઢી પાસેથી ગુજરાતીની કદર કરવાની આશા રાખશો તો સોરી,અમે એ નહિ કરી શકીએ, કારણકે અમને શેક્સપીયરનાં ઈંગ્લીશથી પણ નફરત છે અને ભદ્રંભદ્રના ગુજરાતીથી પણ નફરત છે. કારણકે એ અમારી ભાષા નથી,એ સામાન્ય લોકો ની ભાષા નથી. It’s for class and not mass.
આજે દક્ષિણ ભારતમાં, ત્યાંની યુવા પેઢી તેમની માતૃભાષાને લઈને જાગૃત છે કારણકે એ ભાષાઓએ, તેમનાં સાહિત્યે યુવા પેઢીને અનુરૂપ લખ્યું છે, અને એ પેઢીને રસ પડે એ ભાષામાં,નહિ કે ભદ્રંભદ્ર કે શેક્સપિયરની ભાષામાં. જયારે ગુજરાતીમાં માંડ આંગળીના વેઢે ગણાય એટલા લેખકો યુવાપેઢીની ભાષા બોલે છે,અને બાકીના સાહિત્યકારો એમનો વિરોધ કરે છે. આ કરચલાવૃત્તિનાં રહેતા તમે આજની પેઢીને ભાષાનું ગૌરવ લેવાનું કઈ રીતે કહી શકો?
અને જો ગુજરાતીને બચાવવાની જરૂર આવી પડી હોય એવી કટોકટી સર્જાય તો પછી એવી ભાષાને સાચવીને કામ શું છે???
આવું જ સંસ્કૃતિનું છે, આપણે આપની ૫૦૦૦ વર્ષ જૂની સંસ્કૃતિની યશોગાથા ગાતાં બેસી રહીશું તો સંસ્કૃતિનો કંઈપણ ઉદ્ધાર નથી થવાનો, અને એમ જ સંસ્કૃતિ મરી પરવારશે. ૫૦૦૦ વર્ષ પહેલા જે પણ હતું તે એ સમયને અનુરૂપ હતું અને સમય સાથે તાલ મેળવીને ચાલવાથી જ સંસ્કૃતિની ગરિમા જળવાશે નહિ કે નવીનતાનો વિરોધ કરવાથી.
આનાથી વધારે તો શું કહું?? સમજદાર કો ઈશારા હી કાફી હૈ...
Subscribe to:
Posts (Atom)